પુરાણોમાં આપણે પૃથ્વીને ભાર થયાની વાતો સાંભળીએ છીએ. પૃથ્વીને ભાર થાય છે આળસનો, આદિપણાનો, પાપનો, અનાચારનો, દ્રોહનો. ટોલ્સ્ટોયે જોયું કે આજે પૃથ્વીને બહુ ભાર થાય છે, ભાર અસહ્ય થયો છે, હવે કાઈક ઉત્પાત થવાનો, જ્વાળામુખી ફાટી નીકળવાનો અથવા અભૂતપૂર્વ દાવાનળ સળગવાનો. એ દુ:ખ કેમ ટળે, એ મહતી વિનષ્ટિમાંથી સમાજ કેમ બચે, એની વિવેચના આ ચોપડીમાં ટોલ્સ્ટોયે કરી છે.
Reviews
There are no reviews yet.