Logo

  •  support@imusti.com

Nishchena Mahelma (નિશ્ચેના મહેલમાં)

Price: $ 8.71

Condition: New

Isbn: 9788184805857

Publisher: Gurjar Sahitya Prakashan

Binding: Paperback

Language: Gujarati

Genre: Novels & Short Stories,

Publishing Date / Year: 2012

No of Pages: 85

Weight: 180 Gram

Total Price: $ 8.71

Click Below Button to request product

સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલયનો કાર્યભાર સંભાળનાર શ્રી ત્રિભુવનદાસ ઠક્કરે ૧૯૬૯ દિવાળી અંક માટે કાંઇક લખાણ મોકલવા મને પત્ર લખ્યો. શું મોકલું? નાનપણમાં અમારા પછાત દેસી રાજ્યમાં પુસ્તકો અને સામયિકોના માંડ દર્શન થતા. પિતાજી અપ્તાહિક ‘નવજીવન’ ઉપરાંત ‘સસ્તું સાહિત્ય’ ની વિવિધ ગ્રંથમાળાનાં પુસ્તકો વાર્ષિક લાવાજમી મગાવતા. એ રીતે કેટલાંક ચરિત્રો હું વાંચવા પામેલો. ‘કૃષ્ણકાંતનું વિલ’ નો કેટલોક ભાગ અને ‘ધર્મતત્વ’ એ બંકિમચંદ્રની પ્રસાદી પણ મળેલી. સસ્તું સાહિત્યને કાંઇક મોકલવું તો જોઈએ. મને થયું મને ગમતા, મારા મનમાં વિશેષ ભાવે રમતા કોઈ ભજન કે પ્રથાનાકાવ્ય પરલખી મોકલું. પહેલું જ આપ્યું રણછોડકૃત ‘દિલમાં દીવો કરો’ ઉપરનું ટૂંકું વિવરણ. એ વખતે હું ગુજરાત યુનીવર્સીટીના કુલપતિની જવાબદારી સંભાળતો. અમે કેટલાંક મિત્રો ‘નિરીક્ષક’ સાપ્તાહિક માટે લખતા. તેની ઓફીસમાંથી ભાઈ દાનાજી ‘અગ્રલેખ’ લેવા કુલપતીનીવાસ પર આવે. બેસાડું. લેખ લખી આપી વિદાય કરું. ૧૯૭૦ના દિવાળી અંકનો સમય પાસે આવ્યો એટલે શ્રી ત્રિભુવનદાસનો પત્રઆવ્યો જ છે તો ! શું મોકલું ? તરત જ સુજ્યું કે વળી કોઈ બીજા ભજન ઉપર લખું. એમ દરેક વરસે દિવાળી પહલાં ઉઘરાણી આવે ને હું વળી કોઈ ને કોઈ ભક્તિકાવ્ય વિશે લખી મોકલું. સારું છે કે દિવાળી અંક વરસમાં એક જ હોય છે. વચ્ચે એક વરસ પડ્યું હતું, તો બીજા વરસે બે ઉપર લખ્યું હતું. આજ સુધી એવાં સોળ લખાણ થયાં. શ્રીકૃષ્ણપ્રેમી મિત્રો ડો. દલસુખભાઈ કાલિદાસ શાહ અને ડો. ઉપેન્દ્રરાય જયચંદભાઈ સાંડેરાને આ પુસ્તક સૌહાર્દભાવે અર્પણ કરું છું. • ઉમાશંકર જોશી