માણસ નામે ગઝલ રમેશ પુરોહિત ગઝલને માણે છે. જાણ્યા પછી જ પ્રમાણે છે અને પછી વખાણે છે. એમની પાસે માળીની-વનમાળીની કોદાળી છે. પણ કઠિયારાનો કુહાડો નથી.મૂળ તો એ સ-હ્રદય ભાવક છે.શું સારું અને શું નરસું એની એમની પાસે તારતમ્ય બુદ્ધિ છે. ઔચિત્ય અને વિવેક છે. એ સહેલાઈથી ઓવારી જતા નથી. તો એ સાવ દુરારાધ્ય જેવા જિદી કે જળ પણ નથી. પોતાની, સર્જકની અને પ્રજાની - ત્રણેયની રુચીને ઓળખે છે. હવે કોઈને માણસને કેન્દ્રમાં રાખીને કેટલી ગઝલો અત્યારસુધી લખી છે તેનું સંશોધન કરવા માટે મેં એક આ રસ્તો ખોલી આપ્યો છે. શખ્સ, આદમી, માણસ, ગમે તે નામે વાત કરે પણ માણસની ખૂબી, માણસની માણસાઈ, ભલમનસાઈ કે માણસની માનવીય નબળાઈને ગઝલમાં ગઝલના રંગ રંગીને કહેવામાં આવી છે. બરકત વીરની બેફામ સાચે જ કહે છે કે : જો વહાલ કરું તો વેર મળે, અમૃત આપું તો ઝેર મળે, માણસ બનવાની કોશિશમાં મુંઝાઈ ગયેલા માણસ છું. માણસ ભલે રિસાઈ જાય પણ વિસરાઈ જતો નથી. માણસની આ ગઝલોનું પુસ્તક એ વિષયવાર વર્ગીકૃત થઇ રહેલી ગઝલમાં વિશિષ્ટ સંપાદન બની રહેશે અને ભાવકોને ગમશે એવી આશા રાખું છું.
Manas Name Gazal (માણસ નામે ગઝલ)
Author: Ramesh Purohit (રમેશ પુરોહિત)
Price:
$
7.56
Condition: New
Isbn: 9788184403190
Publisher: Navbharat Sahitya Mandir
Binding: Paperback
Language: Gujarati
Genre: Poetry,
Publishing Date / Year: 2010
No of Pages: 84
Weight: 100 Gram
Total Price: $ 7.56
Reviews
There are no reviews yet.