ભારતના સ્વતંત્રતા સંગ્રામ ઈતિહાસમાં ચંદ્રશેખર આઝાદનું નામ સુવર્ણ અક્ષરે અંકિત છે. તેઓનું મૂળ નામ ચંદ્રશેખર તિવારી હતું. ભલે લોકો સ્વતંત્રતા-સંગ્રામમાં તેઓના યોગદાનને પુરી રીતે ન જાણતા હોય, પરંતુ એટલું તો ચોક્ક્સ જાણે છે કે તેઓ આ સંગ્રામના અગ્રણ્ય ક્રાંતિકારીઓમાં એક હતા અને તેઓના નામ માત્રથી મોટા મોટા અંગ્રેજ પોલીસ અધિકારી સુદ્ધા કંપી ઉઠતા હતાં. બાળપળમાં જ તેઓએ પોલીસની બર્બરતાનો વિશેષ પ્રગટ કરવા માટે એક અંગ્રેજ અફસરના માથા ઉપર પત્થર મારી દીધો હતો. પોતાના ક્રાંતિકારી જીવનમાં આઝાદે ડગલે પગલે અંગ્રેજો સાથે જબરદસ્ત ટક્કર લીધી હતી. તેઓએ સુખી જીવનનો ત્યાગ કરીને, કાંટાળો રસ્તો પસંદ કર્યો હતો અને પોતાનું જીવન દેશ માટે સમર્પિત કરી દીધુ હતુ. ભલે તેઓ તેમના જીવનકાળ દરમ્યાન આઝાદીનો સુર્યોદય જોઈ શક્યા ન હતા. પરંતુ ગુલામીના કાળા વાદળોને પોતાના ક્રાંતિ-તીરોથી એવા વિખેરી નાંખ્યા હતા કે છેવટે કાળા વાદળોને ભારતની ભૂમિ છોડી ભાગી જવું પડ્યું હતું. મહાન ક્રાંતિકારી, અદ્વિતિય દેશાભિમાની અને દ્રઢ સંકલ્પવાન ચંદ્રશેખર આઝાદના ન જાણેલા જીવનપ્રસંગો સાથે તેઓના સંપૂર્ણ વ્યક્તિત્વનું દર્શન આ પુસ્તકમાં તમે જોઈ શકશો.
Chandrashekhar Azad (ચંદ્રશેખર આઝાદ)
Author: Kumud Vakil (કુમુદ વકીલ)
Price:
$
8.68
Condition: New
Isbn: 9789385069185
Publisher: Navbharat Sahitya Mandir
Binding: Paperback
Language: Gujarati
Genre: Memoir And Biography,Novels And Short Stories,
Publishing Date / Year: 2016
No of Pages: 144
Weight: 150 Gram
Total Price: $ 8.68
Reviews
There are no reviews yet.