કોણ કહે છે કે દુનિયામાં દુ:ખ નથી ? દુનિયામાં દુ:ખ જ્યાંત્યા ફેલાયેલું છે પણ જીવન આખું દુઃખથી ભરેલું છે.એમ કહેવું તે જીવન પ્રત્યે અન્યાય કરવા જેવું છે. દુનિયામાં સુખ પણ છે અને દુ:ખ પણ છે. ખાસ જાણવા જેવી વાત એ છે કે કેટલાંક સુખ સુખકર હોવા છતાં ઈચ્છવા જેવા હોતા નથી. એ તો ટાળવા જ સારા, કેમ કે અમુક સુખ માણસને ઉતારનારું, પાડનારું અને હીન બનાવનારું હોય છે. જે સુખ પ્રારંભમાં એટલે કે ભોગવતી વખતે અમૃત જેવું લાગે, પણ પરિણામે ઝેર જેવું હોય, તે સુખને ગીતાએ ટાળવા જેવું ગણ્યું છે. મુત્યુંમાંત્રની બીક રાખવી માણસને માટે યોગ્ય નથી. માણસ પોતાના મૃત્યુની કલ્પનાથી ડરે, અકળાય એ તો કાયરતા જ છે. કોક કોક વાર સત્યાગ્રહી તરીકે, દેશરક્ષણના અર્થે અથવા સજ્જનોના બચાવને અર્થ પ્રાણ અર્પણ કરવાનો વારો આવે ત્યારે માણસ પ્રસન્નતાપૂર્વક મુત્યુને ભેટવા તૈયાર થઇ જાય.
Param Sakha Mrutyu (પરમ સખા મૃત્યુ)
Price:
$
3.00
Condition: New
Isbn: 9788172294465
Publisher: Navajivan Trust
Binding: Paperback
Language: Gujarati
Genre: Culture and Religion,
Publishing Date / Year: 2012
No of Pages: 208
Weight: 0.33 Pound Pound
Total Price: $ 3.00
Reviews
There are no reviews yet.