$35.99
Genre
Religious
Print Length
168 pages
Language
Gujarati
Publisher
R. R. Sheth and Co. Pvt. Ltd
ISBN
9788196954420
ભારતની પ્રજાએ મોગલયુગ, અંગ્રેજયુગ, નેહરુયુગ અને સોનિયાયુગની બદમાશીઓ, હેરાનગતિઓ અને અપમાનો વેઠ્યાં છે. 2014 પછી શરૂ થયેલા મોદીયુગને લીધેઆપણે આ બધી આપદાઓથી મુક્ત થઈ રહ્યાં છીએ. અયોધ્યાની રામજન્મભૂમિ પર બંધાયેલા ભવ્ય મંદિરને કારણે ભવિષ્યમાં આવી રહેલા રામરાજ્યના સૂર્યોદય પહેલાંનુંપ્રથમ સોનેરી કિરણ દેખાઈ રહ્યું છે. આ પુસ્તક આ સૂર્યોદય પહેલાંની કાળીડિબાંગ રાત્રિવાળા એક દાયકાનું બયાન કરે છે. એ એક દાયકા દરમ્યાન – 1992થી 2002 દરમ્યાન – નિઃસ્વાર્થભાવે પોતાની ફરજ બજાવતા ભારતના જે પત્રકારોએ પોતાની પ્રૉફેશનલ અને પર્સનલ લાઇફમાં સહન કરવું પડ્યું તેમાંનો એક હું છું. મને સંતોષ એબાબતનો છે કે સેક્યુલરવાદીઓના કહેવાથી મેં મારા ખભા પરના બકરાને કૂતરું ગણીને ફેંકી દીધું નથી. તટસ્થતાનો તેમ જ નિરપેક્ષતાનો દેખાડો કરનારા આ મુસ્લિમપરસ્ત, હિંદુદ્વેષી, ભારતદ્વેષી લોકોના ઝાંસામાં આવ્યા વગર મેં મને જે સાચું લાગ્યું, દેશ માટે જે સારું લાગ્યું તેનો પક્ષ બેધડક લીધો છે, જેના પુરાવાઓ તમને આ પુસ્તકમાં પાને પાનેમળશે.
(પ્રસ્તાવનામાંથી) – સૌરભ શાહ
સૌરભ શાહે 1978માં પત્રકારત્વ અને સાહિત્યમાં વિધિસર પ્રવેશ કર્યો તે પહેલાં તેઓ વાર્તા, કવિતા તેમ જ પુસ્તક સમીક્ષા તથા છૂટક લેખો લખતા થઈ ગયેલા. અઢારવર્ષની ઉંમરે ‘ગ્રંથ’માં અને ત્યારબાદ ‘જન્મભૂમિ પ્રવાસી’માં જુનિયર સબ-એડિટર તરીકે કારકિર્દી શરૂ કરનાર સૌરભ શાહ ‘ગુજરાત સમાચાર’, ‘દિવ્ય ભાસ્કર’, ‘મુંબઈસમાચાર’, ‘અકિલા’, ‘ચિત્રલેખા’ અને ‘સાધના’ સહિતનાં પ્રમુખ ગુજરાતી છાપાં-સામયિકો માટે નિયમિત કૉલમો લખી ચૂક્યા છે. અત્યારે ‘સંદેશ’ માટે બિનરાજકીય વિષયોપર રવિવારે અને બુધવારે તથા Newspremi.com માટે રાજકીય સમીક્ષા તથા કરન્ટ ટૉપિક સહિત અનેકવિધ વિષયો પર ‘ગુડ મૉર્નિંગ’ નામની કૉલમ લખે છે. તેઓ‘સમકાલીન’ (મદદનીશ તંત્રી : 1983-85), ‘અભિયાન’ (મૅનેજિંગ તંત્રી : 1987), ‘મિડ-ડે’ (તંત્રી : 1999-2002 અને ‘સંદેશ’ (એક્ઝિક્યુટિવ તંત્રી : 2003)માં ફરજ બજાવીચૂક્યા છે. એમની અવૉર્ડ વિજેતા નવલકથા ‘મહારાજ’ પરથી યશરાજ ફિલ્મ્સ (વાયઆરએફ) આ જ નામની હિન્દી ફિલ્મ બનાવી રહી છે. રિપબ્લિક ટીવી પર અર્નબગોસ્વામીના શોમાં અંગ્રેજીમાં ડિબેટ કરીને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની વાત પહોંચાડે છે. સૌરભ શાહને 2003માં ‘નિર્ભીક ઔર રાષ્ટ્રનિષ્ઠ લેખિની કે ધની’નીઉપાધિ આપીને તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી તથા ગૃહ પ્રધાન લાલકૃષ્ણ અડવાણીના હસ્તે સંસદભવન સંકુલના સભાગૃહમાં ‘પાંચજન્ય વૈદ્ય ગુરુદત્તપારિતોષિક’થી સન્માનિત કરવામાં આવ્યા. સૌરભ શાહનાં ડઝનેક પુસ્તકોને ગુજરાતી વાચકોએ બેસ્ટસેલર બનાવ્યાં છે.
0
out of 5