ગુજરાતી સાહિત્યમાં ચરિત્રસાહિત્ય ક્ષેત્રે ભગવાન મહાવીર વિશે બહુ ઓછું લખાયું હતું, ત્યારે જયભિખ્ખુના આ ચરિત્રે એક દિશાસૂચક કામ કર્યું હતું. વળી એમને ભગવાન મહાવીરના જન્મ થી નિર્વાણ સુધીની એમની આત્મસિદ્ધિ ની સાધના પ્રવાહી શૈલીમાં દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. એમના ઉપદેશ ને પણ પ્રસંગો સાથે તાણાવાણાની માફક વાણી લીધો છે. પરિણામે જયભિખ્ખુ પાસે થી ભગવાન મહાવીરસ્વામી નું એક પ્રમાણભૂત ચરિત્ર પ્રાપ્ત થયું ,જે ખૂબ લોકચાહના પામ્યું. ‘જયભિખ્ખુની જન્મશતાબ્દી’ નિમિતે ‘જયભિખ્ખુ: વ્યક્તિત્વ અને વાડ્મય’ અંગે નો પ્રિ. નટુભાઈ ઠક્કરે લખેલો ગ્રંથ ઉપરાંત ‘જીવનધર્મી સાહિત્યકાર જયભિખ્ખુ’ એ વિશે શ્રી પ્રફુલ્લ રાવલ લિખિત પુસ્તિકા પણ પ્રકાશિત કરવામાં આવી. જયભિખ્ખુના વિપુલ સાહિત્યસર્જનમાંથી એમની નવલકથાઓ , ટૂંકી વાર્તાઓ, ચરિત્રો, ધર્મકથાઓ અને બાળસાહિત્ય પ્રકાશિત કરી રહ્યા છીએ, જેથી જયભિખ્ખુનું ઉત્કૃષ્ટ સાહિત્ય ગુજરાતના સાહિત્યરસિકોને ઉપલબ્ધ થશે. જયભિખ્ખુ શતાબ્દી ગ્રંથાવલી ધ્વારા જયભિખ્ખુની મૌલિક સાહિત્યસૃષ્ટિ અને તેજસ્વી કલમ નો આસ્વાદ ભાવકોને માણવા મળશે.
Bhagwan Mahavir (ભગવાન મહાવીર)
Author: Jaybhikhkhu (જયભિખ્ખુ)
Price:
₹
150.00
Condition: New
Isbn: 9789380065380
Publisher: Gurjar Sahitya Prakashan
Binding: Hardcover
Language: Gujarati
Genre: Novels & Short Stories,
Publishing Date / Year: 2011
No of Pages: 233
Weight: 580 Gram
Total Price: ₹ 150.00
Reviews
There are no reviews yet.