1938ની 28મી ડિસેમ્બેર ભૂજ-કચ્છમાં જન્મેલા શ્રી સુરેશ પ્રા.ભટ્ટ વર્ષોથી ગાંધીનગરમાં સ્થાયી થયા છે. 1957માં ગુજરાત સરકારના મહેસૂલ વિભાગમાં કલાર્ક તરીકે કારકિર્દીની શરૂઆત કરનાર શ્રી ભટ્ટે નાયબ મામલતદાર પદ છોડીને શિક્ષક બનવાનું વધુ પસંદ કર્યું. એમ.એ.,એમ.એડ. સુધી અભ્યાસ કરનાર શ્રી ભટ્ટ છેલ્લે શિક્ષણાધિકારી પદેથી નિવૃત થયા. ગુજરાતી ભાષાના શિક્ષક રહેલા શ્રી સુરેશ પ્રા. ભટ્ટે ટૂંકી વાર્તા અને રેડિયો નાટકોથી લેખનની શરૂઆત કરી. તેમનાં કાવ્યો, ગઝલો, મુક્તકો અને ભજનો અનેક સામયિકો અને અખબારોમાં અવાર-નવાર પ્રસિદ્ધ થયાં છે. સ્વતંત્ર નિર્માતા તરીકે તેમણે 100થી વધુ ટી.વી. શૈક્ષણિક કાર્યક્રમોનું નિર્માણ કર્યું છે. તેમણે લખેલાં ટી.વી. દસ્તાવેજી ચિત્રોને ઘણા એવોડર્સ પણ મળ્યા છે. તેમણે લખેલી અને દૂરદર્શનના રાષ્ટ્રીય પ્રસારણમાં પ્રસારિત થયેલી ત્રણ કલાકની ટેલી ફિલ્મ મૂઝારોને વિવેચકોએ પણ બહુ વખાણી હતી. ગાંધીનગર સમાચારમાં છેલ્લાં 11 વર્ષોથી દરરોજ નિયમિત પ્રસિદ્ધ થતી, વિશાળ વાચક અને ચાહક વર્ગ ધરાવતી કોલમ સુપ્રભાતમના કટાર લેખક તરીકે જાણીતા શ્રી સુરેશ પ્રા. ભટ્ટને આજીવન શિક્ષક તરીકે ઓળખવું વધુ પસંદ છે....
Suprabhatam (સુપ્રભાતમ)
Price:
₹
345.00
Condition: New
Isbn: 849891012385
Publisher: Navbharat Sahitya Mandir
Binding: Paperback
Language: Gujarati
Genre: Literature,
Publishing Date / Year: 2009
No of Pages: 232
Weight: 385 Gram
Total Price: ₹ 345.00
Reviews
There are no reviews yet.