કહેવાય છે કે ઈશ્વર માટે દરેક જગાએ પહોંચવું શક્ય નથી હોતું અને તેથી જ એ એવી વ્યક્તિઓને આપણી પાસે મોકલે છે કે જેમના સંજીવની સ્પર્શમાત્રથી જ આપણે શાતાનો દિવ્ય અનુભવ મેળવી શકીએ. પ્રભુના આ લાડકવાયા લોકોના જીવનનો એકમાત્ર હેતુ સમાજના દરેક વર્ગના લોકોનું કલ્યાણ કરવાનો હોય છે. આજના કળિયુગમાં જ્યારે પરમાર્થનું કામ કરવું એ તપ અને સાધના ગણાય છે ત્યારે આ લોકો તન, મન, ધન અને વચનથી અન્ય કોઈ પણ અપેક્ષા, આશા કે ઇચ્છાઓ રાખ્યા વગર પરમાર્થનું કામ કરતા જ રહે છે. એવું ઘણીવાર બનતું હોય છે કે પ્રસિદ્ધિ અને પ્રચારનો ચળકાટ જોવા માટે ટેવાયેલી આપણી આંખો - નેપથ્યમાં રહીને સમાજજીવનનાં ઉત્થાન માટે કામ કરતા આવા લોકોને જોઈ શકતી નથી. સમાજના ઘરેણાં જેવાં આ લોકો જ પોતાની સંવેદનાની અનુભૂતિ દ્વારા સંસ્કૃતિનું ઘડતર કરતા હોય છે. જો તમારે સારું કામ કરવું હોય તો કોઈને કોઈ રીતે ઈશ્વર તમને મદદ પહોંચાડતા જ હોય છે એ વાતની અનુભૂતિ તમને આ સત્યઘટનાત્મક અને ચમત્કારિક અનુભવોના વાંચનથી થશે. આજે જ આ પુસ્તક વાંચો અને તમારા સ્નેહીજનોને આ પુસ્તકની ભેટ આપી તમે પણ સત્કાર્યની સુગંધ સમાજ સુધી પહોંચાડીને પ્રભુના લાડકવાયા બનો.
Sanjivani Sparsh (સંજીવની સ્પર્શ)
Author: Dr. Rajesh Teli (ડૉ. રાજેશ તેલી)
Price:
₹
150.00
Condition: New
Isbn: 9788194397731
Publisher: R. R. Sheth and Co. Pvt. Ltd
Binding: Paperback
Language: Gujarati
Genre: Novels & Short Stories,
Publishing Date / Year: 2019
No of Pages: 120
Weight: 110 Gram
Total Price: ₹ 150.00
Reviews
There are no reviews yet.