અલ્કેમીસ્ટ (Alchemist)

By પૌલો કોએલ્હો (Paulo Coelho)

અલ્કેમીસ્ટ (Alchemist)

By પૌલો કોએલ્હો (Paulo Coelho)

190.00

MRP ₹199.5 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Inspirational

Print Length

160 pages

Language

Gujarati

Publisher

R. R. Sheth and Co. Pvt. Ltd

Publication date

1 January 2023

ISBN

9789351228332

Description

દરેક દસકાઓમાં એક એવું પુસ્તક પ્રકાશિત થાય છે જે તેના વાચકોના જીવનને હંમેશ માટે બદલી નાંખે છે. પૉલો કોએલોનું `ઍલ્કેમિસ્ટ’ એવું જ એક અદ્ભુત પુસ્તક છે.
આ એ અમર પુસ્તકનો અધિકૃત અનુવાદ છે. આ પુસ્તક વિશ્વની 67 ભાષાઓમાં પ્રકાશિત થયું છે અને પૉલો કોએલોનાં પુસ્તકોની 10 કરોડ ઉપરાંત નકલોનું વેચાણ વિશ્વભરમાં થયેલું છે.
આ કથા આપણને આપણા હૃદયનો અવાજ સાંભળવાની, આપણા જીવનમાં વિખરાયેલાં ચિહ્નો અને શુક્નોને યોગ્ય સમયે ઓળખી પોતાનાં સ્વપ્નાં પૂરાં કરવા માટે પ્રયત્નશીલ રહેવાની કળા શીખવે છે.

ઍલ્કેમિસ્ટમાંથી મને શીખવા મળ્યું છે કે – ખુદમાં વિશ્વાસ રાખો અને યાત્રા ચાલુ રાખો.
મલાલા યુસુફઝાયી [નૉબલ પુરસ્કાર વિજેતા]
* * *
પૉલો કોએલોના શબ્દોમાં આપણને વિશ્વાસ બેસે છે. એ શીખવે છે કે મક્કમ મનોબળ, પ્રેમ અને ઈચ્છાશક્તિથી આપણે આપણું અને બીજાં અનેક લોકોનું ભવિષ્ય બદલી શકીએ છીએ.
બરાક ઓબામા [અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ]
* * *
પૉલોને હું મારાં શ્રેષ્ઠ શિક્ષક માનું છું. આજે પણ ઍલ્કેમિસ્ટને હું ઓશીકે રાખું છું.
ઓપ્રા વિનફ્રે [કલાકાર]
* * *
સમગ્ર વિશ્વ અને વિવિધ સંસ્કૃતિના લોકોને સ્પર્શતી પૉલોની અજોડ આવડતને તેમને વિશ્વદૂત બનાવ્યા છે.
બાન કી-મૂન [UN સેક્રેટરી જનરલ]
* * *
જીવનમાં ફોકસ થવા માંગતી દરેક વ્યક્તિ માટે આ પુસ્તક વાંચવું અનિવાર્ય છે.
રસેલ ક્રો [કલાકાર]

પૉલો કોએલોના પુસ્તકો માટેની મૂળ પ્રેરણા એના પોતાના જીવનમાંથી આવી છે. એણે મોત સાથે સંતાકૂકડી રમી લીધી, ગાંડપણની હદ સુધી પહોંચીને પાછા ફર્યા, જાતજાતનાં ડ્રગ્સ અજમાવી લીધા, ભીષણ યાતનાઓ સહન કરી, જાદુ ટોણા અને પિત્તળમાંથી સોનુ બનાવવાના કીમિયા પણ અજમાવી જોયા, ફિલોસોફી અને ધર્મનો ઊંડો અભ્યાસ કર્યો, અગણિત થોથાં ઉથલાવી નાખ્યા, આસ્થા ગુમાવીને પાછી મેળવી, પ્રેમનું સુખ અને પછી કારમી પીડા પણ ભોગવી લીધાં. દુનિયામાં પોતાનું સ્થાન શોધવા માટે આદરેલી યાત્રા દરમ્યાન એણે બીજાં બધાય લોકોને સતાવતા પડકાર અને પ્રશ્નોના જવાબ મેળવી લીધા. એ માને છે કે આપણી નિયતિ શું છે, એ જાણવાની, નક્કી કરવાની શક્તિ આપણી અંદર જ વસે છે.એમની નવલકથાઓ વિશ્વના બેસ્ટસેલિંગ પુસ્તકોની યાદીમાં સ્થાન મેળવી ચૂકી છે. વર્ષ 1988માં પ્રગટ થયેલી The Alchemistની અત્યાર સુધીમાં સાડા છ કરોડ નકલ વેચાઈ ગઈ છે. મલાલા યુસફઝાઈ અને ફરેલ વિલિયમ્સ જેવા લોકોએ એ પુસ્તકમાંથી પ્રેરણા મળી હોવાનું કબુલ્યું છે.કોએલોએ લખેલા પુસ્તકોની અત્યાર સુધીમાં વીસ કરોડથી વધુ નકલ વેચાઈ છે. દુનિયાની 81 ભાષામાં એનું પ્રકાશન થયું છે અને અત્યારે વિશ્વના જીવંત લેખકોમાં સહુથી વધુ અનુવાદ, એમના પુસ્તકોનાં થયાં છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%