₹290.00
MRPPrint Length
256 pages
Language
Essays
Publisher
Pravin Prakashan
ISBN
9788194629375
ચંદ્રકાંત બક્ષીનું પુસ્તક જીવન અને સફર એ લેખકની આત્મમંથનથી ભરપૂર યાત્રાનું સાહિત્યરૂપ છે. ગામથી શહેર સુધીની આ યાત્રા માત્રદૃશ્યમાન પરિવર્તન નહીં, પણ આંતરિક ઊંડી સંવેદનાની કથા છે. શહેરના ફૂટપાથથી માંડીને સમાજના કેન્દ્ર સુધી પહોંચતા માણસના પગલાંમાંજે અનુભવ અને સંઘર્ષો છુપાયેલા છે., તે લેખકે તત્કાલિન ભાવમયતાથી રજૂ કર્યા છે. ઈર્ષા, અસૂયા અને અદેખાઈ જેવી અદૃશ્ય લાગણીઓજીવનના ઊંડા સ્તરોની ચર્ચા ઊભી કરે છે. કલાના જગતનું ‘હું’ અને સમાજનું ‘આપણે’ વચ્ચેની તણાવભરી ભેદરેખા અહીં સ્પષ્ટ થાય છે. લેખકના મતે સાચો હીરો એ છે. જે રોજ સવારે પરિવાર માટે પરિશ્રમ કરવા રસ્તા પર નીકળે છે. અને રાત્રે પરિવાર માટે લઇને પાછો ફરે છે. લોકશાહી વિષેની નવી વ્યાખ્યામાં લેખક નાનાં માણસ માટે સહાનુભૂતિથી ભરેલી દૃષ્ટિ આપે છે. આત્મવિશ્વાસ અને નિષ્ઠાપૂર્વક શ્રમથી આગળવધવાનું જે તત્વ છે., તે અહીંના ઘણા ઉદાહરણોમાં સ્પષ્ટ ઝલકે છે. ગરુડ અને ચકલાંની ઉપમાઓ દ્વારા સમાજના બે મુખોટાઓને સુંદર રીતેઓળખાવે છે. સમગ્ર પુસ્તક જીવનની સફરમાં પ્રકાશની શોધ છે. જ્યાં દરેક અનુભવ, દરેક તકો અને દરેક તણાવ મનુષ્યને પોતાને વધુ ઊંડેઓળખાવાની તક આપે છે.
0
out of 5