Logo

  •  support@imusti.com

Vishvagita (વિશ્વગીતા)

Price: ₹ 135.00

Condition: New

Isbn: 9789388882873

Publisher: R. R. Sheth and Co. Pvt. Ltd

Binding: Paperback

Language: Gujarati

Genre: Literature,

Publishing Date / Year: 2019

No of Pages: 120

Weight: 120 Gram

Total Price: 135.00

    0       VIEW CART

ભગવદગીતા એ ધાર્મિક પુસ્તક નથી જ. ભગવદગીતા એ Art of Living એટલે કે જિંદગીને જીવવાની કળા શીખવતું અદ્ભુત ઘરેણું છે. શ્રીકૃષ્ણ દ્વારા અપાયેલો આ સંદેશ સમગ્ર માનવજાત માટે આદર્શ જીવન કેવી રીતે જીવી શકાય તેનું માર્ગદર્શન કરે છે. ભગવદગીતા એટલે સમસ્ત જીવનને સારી રીતે જીવવા માટે લાયક બનાવતી એક જંગમ વિદ્યાપીઠ! સદીઓ પહેલાંની આ વાતો આજે પણ મોર્ડન સંદર્ભેમાં જીવનના અનેક ક્ષેત્રે મૂલ્યવાન અને ઉપયોગી બને છે. જીવન હોય કે કુટુંબ, અધ્યાત્મ હોય કે મૅનેજમૅન્ટ, રાષ્ટ્ર હોય કે વિશ્વ - તમારી દરેક મૂંઝવણનો ઉકેલ તમને અહીંથી મળશે. સૃષ્ટિમાં એવો કોઈ પ્રશ્ન નથી કે જેનો ઉત્તર ભગવદગીતામાં ન હોય! પરમાત્માના મુખે ગવાયેલું માનવજીવનનું વૈશ્વિક ગીત એટલે આ વિશ્વગીતા! વ્યક્તિ અને સમષ્ટિ વચ્ચેનો કર્મ, ધર્મ અને જીવનને સ્પર્શતો સૂક્ષ્મ સંવાદસેતુ તમને આ પુસ્તકમાં માણવા મળશે. `વસુધૈવ કુટુંબકમ્'ના જીવનમંત્રનું ભગવદગીતાના સંદર્ભે `વિશ્વગીતા'માં રજૂ કરેલું વિશ્વમાનવ દર્શન અને વૈશ્વિક માનવદર્શન તમને લૉકલ વિલેજ લાઇફથી માંડીને ગ્લૉબલ વિલેજ લાઇફ સુધીની લાઇફ સ્ટાઇલ શીખવશે.